ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમમાં તા. ૨૦/૧૦/૨૦૨૩ના આજ રોજ વલસાડ નગરપાલિકા દ્વારા હાલર તળાવ, મોગરાવાડી મોટા તળાવ અને વાલિયા ફળિયામાં પાણીની ટાંકીની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. ધરમપુર નગરપાલિકા દ્વારા પુરાતત્વીય સાઈટની સાફ-સફાઈ કરવામાં આવી હતી, ઉમરગામ નગરપાલિકા દ્વારા બીચની સાફ સફાઈ કરાઈ હતી. વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા ગાર્ડન તેમજ તળાવની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પારડી પાલિકા દ્વારા તળાવની પાળ પર તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ બાગમાં તળાવની આજુ બાજુ સફાઈ કરવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવાઃ વલસાડ જિલ્લામાં પાલિકાઓ દ્વારા તળાવ, પુરાતત્વીય સ્થળ અને બીચની સફાઈ કરાઈ
