પ્રાકૃતિક ખેતીની તાલીમ માટે વલસાડ જિલ્લાના ખેડૂતો કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી વિસ્તૃતમાં મળી રહે તે માટે કચ્છ જિલ્લાના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાના દરેક તાલુકામાંથી ૫૦ જેટલા પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને બહેનો જોડાયા હતા.

કચ્છ જિલ્લાના જુદા જુદા તાલુકામાં પ્રગતિશીલ ખેડૂતો તેમજ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના દ્વારા પંચગવ્યની માહિતી આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટના વાપી તાલુકાના બીટીએમ અંકુર પ્રજાપતિ અને ધરમપુર તાલુકાના બીટીએમ પ્રણોતીતીબેન પટેલ પણ ખેડૂતો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Share this post

error: Gujarat Alert Content is protected !!